તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

છબી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ દૂર દૂર થી અનેક નદીઓમાં નાહવા અને ગરમીથી રાહત મેળવા માટે આવતા હોય છે.હજુ મહીસાગર કિનારે આવેલા કોટના કિનારે વડોદરાના બે યુવકો પાણીમાં ગરકાવ થયા નો બનાવ હજુ તાજો છે.તેવામાં આજે નર્મદા કિનારે આવેલ પોઇચા ખાતે નહાવા આવેલા 3 બાળકો સહિત સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા સ્થાનિક તરવૈયા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ડભોઇ ફાયરના જવાનો ની મદદથી શોધખોળ ચાલી રહી છે. આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત 8 લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આંઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર, સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે...

વડોદરા તાલુકા પોલીસ મથકના હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ-2 સર્જાઈ તો નવાઈ પામશો નહીં..!

 રાજ્યમાં એક તરફ કથિત લઠ્ઠાકાંડને લઈ ચર્ચાનો વિષય બન્યો હતો.ત્યારે વડોદરા તાલુકામાં હજી અખાદ્ય પદાર્થ માંથી તૈયાર થતા દેશી શરાબની ભઠ્ઠીઓ ખુલ્લેઆમ ધમધમી રહી છે.જ્યારે પોલીસ જાણે અજાણ હોઈ તેવું વર્તન કરે છે.

બોટાદ અને અમદાવાદ જિલ્લામાં થોડા મહિના પહેલા સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડ કે કેમિકલ કાંડ બાદ ગુજરાત ની દંભી દારૂબંધી વિશ્વ ફલક પર ચમકી ઉઠી હતી.ન રોકી શકાય એવા શરાબના  અડ્ડાઓ રાજ્યભરની પોલીસે શોધી કાઢી અને ગુન્હો દાખલ કરતી હતી.જેમાં વડોદરા તાલુકા પોલીસે પણ મોટા પ્રમાણમાં શરાબની હાટડીઓ ચલાવતા બુટલેગરો પર ગુન્હો દાખલ કર્યો હતો.સાથે સાથે એ પણ સાબિતી આપી હતી કે આ તમામ શરાબના અડ્ડાઓ ધમધમતા હતા પણ લઠ્ઠાકાંડ થયો હતો એટલે બંધ કરાવ્યા હતા.

ભારે આલોચના બાદ વડોદરા જિલ્લા તેમજ તાલુકામાં દેશી શરાબની ભઠ્ઠીઓ બંધ કરાવી દેવામાં આવી હતી.પણ જેમ જેમ બોટાદના કથિત લઠ્ઠાકાંડ ની સહી સુકાઈ ચુકી છે.ત્યાં તો ફરી એક વાર વડોદરા તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાં બિલાડીની ટોપની જેમ દેશી શરાબની મીની ફેક્ટરીઓ તેમજ શરાબના મીની બાર ફરી ધમધમવા લાગ્યા છે.

વડોદરા શહેર ને અડીને આવેલા અંકોડીયા તેમજ સેવાસી રોડ પરના દ્રષ્યો છે.જ્યાં ખુલ્લેઆમ પોતાના ઘરમાં જ દેશી શરાબની ભઠ્ઠીઓ કાર્યરત છે.બુટલેગરો પોતાના જ ઘરમાં દેશી શરાબનું ઉત્પાદન કરી બિન્દાસ વેચાણ કરી રહ્યા છે.જે દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

ગોત્રી પ્રિયા ટોકીઝ પાસે ના મુખ્યમાર્ગ પર તો જાણે ઠેરઠેર જગ્યાએ દેશી બાર ખુલ્યા હોઈ એમ લાગી રહ્યું છે.બુટલેગરો દ્વારા મુખ્યમાર્ગ પર ગ્રીન કાર્પેટ ની આડમાં દેશી શરાબના બાર ચાલુ કરી દેવામાં આવ્યા છે.મુખ્યમાર્ગ હોવાના લીધે કેટલાય પોલીસ જવાનો અહીંથી અવર જવર કરતા હોય છે પણ તેઓને આ દેશી શરાબ ના બાર કેમ દેખાતા નથી એ પણ એક મોટો પ્રશ્ન છે.

જ્યાં મીડિયા કર્મીઓ પહોંચી શકતા હોય ત્યાં પોલીસ કેમ નથી પહોંચતી એ પણ પ્રશ્ન ઉભો થાય છે.વડોદરા તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાં આવા અનેક શરાબના અડ્ડાઓ ખુલ્લેઆમ અને બેરોકટોક ચાલી રહ્યા છે.જ્યારે આ બુટલેગરો પર કોના છુપા આશીર્વાદ છે એપણ શોધવું જરૂરી છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

કરજણ ના દિવી ગામ પાસે થી વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા કતલ ખાને લઈ જતી પશુ ની ગાડી ઝડપી પાડી

મારેઠા ગામે 40 વર્ષીય ઇસમનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવતા ચકચાર