તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

છબી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ દૂર દૂર થી અનેક નદીઓમાં નાહવા અને ગરમીથી રાહત મેળવા માટે આવતા હોય છે.હજુ મહીસાગર કિનારે આવેલા કોટના કિનારે વડોદરાના બે યુવકો પાણીમાં ગરકાવ થયા નો બનાવ હજુ તાજો છે.તેવામાં આજે નર્મદા કિનારે આવેલ પોઇચા ખાતે નહાવા આવેલા 3 બાળકો સહિત સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા સ્થાનિક તરવૈયા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ડભોઇ ફાયરના જવાનો ની મદદથી શોધખોળ ચાલી રહી છે. આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત 8 લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આંઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર, સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે...

કરજણ ના કલ્લા ગામે ખેતરમાં પાણી નહીં આપવા બાબતે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ

 

તલવારો તેમજ ધારીયા જેવા હથિયારો વડે હુમલો







કરજણ તાલુકા માં આવેલ કલ્લા ગામે મુસ્લિમ યુવાનોએ ખેતરમાં પાણી આપવાનું ના કહેતા મામલો ગરમાયો હતો.જેમાં બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ સર્જાતા અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

પરિવાર ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે મોકલ્યા

પોલીસ ફરિયાદ મુજબ કરજણ તાલુકાના કલ્લા ગામે રહેતા ઉમેશ અંબાલાલ પાટણવાડિયા ઉં 36 ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.તા 5 ના રોજ તેવો ને પોતાના ખેતરમાં પાણી લેવાનું હોવાથી તેઓએ રાજુ ભાઈ ઉર્ફે  માસ્તર અબ્દુલભાઇ ચૌહાણ ના છોકરા જામીર ને ટેલિફોનિક વાત કરી પાણી લેવા બાબતે જાણ કરી હતી અને જામીર દ્વારા પણ પાણી આપીશું એવી ખાતરી આપવામાં આવી હતી.પરંતુ આ માસ્તર અબ્દુલભાઇ ચૌહાણની પાણી ની લાઇન રફીક અહેમદ જાદવ ની જગ્યામાં થી પસાર થતી હોય તેથી રફીક તમને પાણી આપવાની ના પાડે છે એમ જણાવ્યું હતું.તા 6 ના રોજ રફીક કોઈના ચડાવ્યાં થી ઉમેશ ભાઈ ના ફળિયામાં મારક હથિયારો સાથે તેના સાગરીતો સાથે રાખી ધસી આવતા મામલો બીચક્યો હતો જેમાં ઉમેશ ભાઈ ના પરિવાર પર જીવલેણ હુમલો થતા તેઓને 108 મારફતે સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.સમગ્ર ઘટના ની જાન કરજણ પોલીસ ને કરતા બને પક્ષ ની સામ સામે ફરિયાદ લઈ આગળ ની તપાસ હાથધરી હતી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

કરજણ ના દિવી ગામ પાસે થી વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા કતલ ખાને લઈ જતી પશુ ની ગાડી ઝડપી પાડી

મારેઠા ગામે 40 વર્ષીય ઇસમનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવતા ચકચાર