તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

છબી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ દૂર દૂર થી અનેક નદીઓમાં નાહવા અને ગરમીથી રાહત મેળવા માટે આવતા હોય છે.હજુ મહીસાગર કિનારે આવેલા કોટના કિનારે વડોદરાના બે યુવકો પાણીમાં ગરકાવ થયા નો બનાવ હજુ તાજો છે.તેવામાં આજે નર્મદા કિનારે આવેલ પોઇચા ખાતે નહાવા આવેલા 3 બાળકો સહિત સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા સ્થાનિક તરવૈયા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ડભોઇ ફાયરના જવાનો ની મદદથી શોધખોળ ચાલી રહી છે. આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત 8 લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આંઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર, સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે...

વડોદરા પાલિકાએ યાકુતપુરાથી પાણીગેટ વિસ્તાર સુધીના કાચા-પાકા ગેરેજ પર બુલડોઝર ફેરવ્યું


વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલી અજબડી મિલ અને તેની ફરતે સ્ક્રેપ સંચાલકો દ્વારા આડેધડ વાહનો પાર્ક કરવામાં આવતા હોય છે. લાંબા સમય સુધી વાહનોનો ખડકલો રહેતા ગંદકી સાથે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. સ્થાનિકોની ફરિયાદના પગલે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ આજે ત્રાટકી વાહનોના દબાણો દૂર કર્યા હતા. વડોદરા શહેરના પાણીગેટ જીઇબી સબ ઇલેક્ટ્રીક સબ સ્ટેશન પાસે છેલ્લા કેટલાય વખતથી ગેરકાયદે કાચુ-પાકું ગેરેજ બંધાયું છે અને આ ગેરેજમાં બગડેલી ફોર વ્હિલર ગાડીઓ રીપેરીંગ અર્થે લાવવામાં આવતી હતી. આ ઉપરાંત રોડ રસ્તા પર પણ ભંગાર હાલતમાં કેટલીક કાર કેટલાય વખતથી પડી રહી છે. આ અંગેની જાણ થતાં જ પાલિકા દબાણ શાખાની ટીમે વરસાદ બંધ થવાની રાહ જોઇ રહ્યું હતું.વરસાદ બંધ થતાં જ પાલિકાની દબાણ શાખાની ટીમ બુલડોઝર સાથે પાણીગેટ જીઇબી સબ સ્ટેશન પાસે પહોંચી ગઇ હતી. જ્યાં કાચા-પાકા બનાવેલા ગેરેજ પર તત્કાળ બુલડોઝર ફેરવ્યું હતું. આ ઉપરાંત ગૌરવ સોસાયટી પાછળ આવેલી અજબડી મિલ રોડ પર અનેક ભંગારની દુકાનો આવેલી છે. આ ભંગારની દુકાન પાસેના જાહેર રોડ પર રસ્તાની બંને બાજુએ કુલ મળીને 50થી વધુ મોટર કાર ભંગાર હાલતમાં પડી હતી. પરિણામે રોડ રસ્તા સાંકડા થઈ જતા વાહનચાલકોને વાહન હંકારવામાં ભારે તકલીફ પડતી હતી. ઘણીવાર તકરારો પણ થતી હતી. જેથી પાલિકાની દબાણ શાખાએ આ તમામ ભંગાર હાલતમાં પડેલી મોટરકારો તત્કાળ ખસેડાવી દઈ રોડ રસ્તા ખુલ્લા કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ વડોદરા પાલિકાની દબાણ શાખાએ કારેલીબાગ સ્થિત બહુચરાજી સ્મશાન રોડ પર પણ આવી જ રીતે દબાણો દુર કર્યા હતા.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

કરજણ ના દિવી ગામ પાસે થી વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા કતલ ખાને લઈ જતી પશુ ની ગાડી ઝડપી પાડી

મારેઠા ગામે 40 વર્ષીય ઇસમનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવતા ચકચાર