તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

છબી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ દૂર દૂર થી અનેક નદીઓમાં નાહવા અને ગરમીથી રાહત મેળવા માટે આવતા હોય છે.હજુ મહીસાગર કિનારે આવેલા કોટના કિનારે વડોદરાના બે યુવકો પાણીમાં ગરકાવ થયા નો બનાવ હજુ તાજો છે.તેવામાં આજે નર્મદા કિનારે આવેલ પોઇચા ખાતે નહાવા આવેલા 3 બાળકો સહિત સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા સ્થાનિક તરવૈયા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ડભોઇ ફાયરના જવાનો ની મદદથી શોધખોળ ચાલી રહી છે. આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત 8 લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આંઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર, સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે...

વડોદરા શહેર ના સુરસાગર સ્થિત હઠીલા હનુમાનજી મંદિર ખાતે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા નિમિત્તે પોથીયાત્રા નીકળી


આજથી હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. શ્રાવણ માસમાં શિવજીની પૂજાનું આરાધનાનું ખૂબ મહત્વ રહેલું છે. શિવપુરાણમાં પણ આ પવિત્ર માસ દરમિયાન શિવજીની આરાધનાનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યારે શહેરના સુરસાગર સ્થિત આવેલ હઠીલા હનુમાનજી મંદિર ખાતે આજથી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થશે જે તા.6 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. આ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું રસપાન પૂ.શાસ્ત્રી આશુતોષ બાપજીના સ્વકંઠે થનાર છે. સાથે સાથે તા. 30 જુલાઇએ શિવ પ્રાક્ટ્યની ઉજવણી કરવામાં આવશે અને તા.2 ઓગસ્ટના મંગળવારે શિવ-પાર્વતી વિવાહનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તા.3 ઓગસ્ટના બુધવારે કાર્તિકેય સ્વામી અને ગણેશજીના જન્મોત્સવનો કાર્યક્રમ થનાર છે, ત્યારે આજે આ પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે શરૂ થનાર શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા નિમિત્તે પોથીયાત્રા હઠીલા હનુમાનજી મંદિરથી સુરસાગર ફરતેથી પરત મંદિરે લાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા પૂ.શાસ્ત્રી આશુતોષ બાપજી, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, મહામંત્રી સદાનંદ દેસાઇ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, નીલાબેન, સરસ્વતીબેન, વિશાલ શ્રીવાસ્તવ તથા આયોજક મહંત દિપેન મહારાજ સહિત સૌ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પોથીયાત્રામાં હનુમાનજી ની વેશભૂષા સાથેના ભક્તે આકર્ષક જમાવ્યું હતું. બગીમા વાજતેગાજતે આ શોભાયાત્રા નિકળી હતી. મંદિરના મહંત અને આ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ ના આયોજક દિપેન મહારાજે સૌ શહેરીજનોને આ કથાનો લ્હાવો લેવા અપીલ કરી હતી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

કરજણ ના દિવી ગામ પાસે થી વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા કતલ ખાને લઈ જતી પશુ ની ગાડી ઝડપી પાડી

મારેઠા ગામે 40 વર્ષીય ઇસમનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવતા ચકચાર