તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

છબી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ દૂર દૂર થી અનેક નદીઓમાં નાહવા અને ગરમીથી રાહત મેળવા માટે આવતા હોય છે.હજુ મહીસાગર કિનારે આવેલા કોટના કિનારે વડોદરાના બે યુવકો પાણીમાં ગરકાવ થયા નો બનાવ હજુ તાજો છે.તેવામાં આજે નર્મદા કિનારે આવેલ પોઇચા ખાતે નહાવા આવેલા 3 બાળકો સહિત સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા સ્થાનિક તરવૈયા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ડભોઇ ફાયરના જવાનો ની મદદથી શોધખોળ ચાલી રહી છે. આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત 8 લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આંઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર, સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે...

વરસાદે વિરામ લેતા કારવણ રેલવેનું ગળનારું ખાલી થયું પૂનઃ વાહનવ્યવહાર ચાલુ થયો.

            કારવણ રેલવેનો અંડરપાસમાં વાહનવ્યવહાર ચાલુ થયો

પાણી ભરાઈ જતા બંધ કરવામાં આવ્યો હતો અંડરપાસ

● બે ફાઇટર મશીન મૂકી પાણી ઉલેચવામાં આવ્યું

● આજે પુનઃ વાહનવ્યવહાર ચાલુ થયો

વડોદરા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.જેને પગલે અનેક ગામોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઇ છે. ત્યારે ડભોઇ તાલુકાના કાયાવ્હોરણ ગામે વરસાદી પાણી ભરાતા અનેક લોકો ફસાયા હતા.કરજણ અને ડભોઇ ને જોડતી નવીન રેલવે લાઇન ના કામને પણ આખરીઓપ આપવામાં આવી રહ્યો છે.ત્યારે રેલવે મેનેજમેન્ટ દ્વારા તૈયાર કરાયેલા અંડરપાસ માં 12 ફૂટ સુધીના વરસાદી પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો..

કાયાવ્હોરણ ના રહીશો દ્વારા ઓવરબ્રિજ ની માંગણી કરવામાં આવી હતી પરંતુ અંડરપાસ બનાવવામાં આવ્યો હતો જેમાં ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદ ને પગલે પાણી ભરાઈ જવાથી કાયાવ્હોરણ થી પોર તરફ જતો મુખ્યમાર્ગ પર આ રેલવેનો અંડરપાસ આવેલો હોવાના કારણે તેમાં 12 ફૂટ જેટલુ પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર બંધ થયો હતો અને સાધલી થી વડોદરા તરફ આવતા વાહનચાલકો ને વાયા કરજણ થઈ ને વડોદરા આવવાનો વારો આવ્યો હતો..

જયારે આજે વરસાદે વિરામ લેતા અંડરપાસ માં ભરાયેલું પાણી બે ફાઇટર મશીન મૂકી બહાર ઉલેચવામાં આવ્યું હતું ..સતત 5 દિવસથી ચાલતા આ ફાઇટર મશીન થી પાણી ખાલી કરી આજે સવારથી જ વાહનવ્યવહાર ચાલુ કરવામાં આવ્યો છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

કરજણ ના દિવી ગામ પાસે થી વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા કતલ ખાને લઈ જતી પશુ ની ગાડી ઝડપી પાડી

મારેઠા ગામે 40 વર્ષીય ઇસમનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવતા ચકચાર