તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

છબી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ દૂર દૂર થી અનેક નદીઓમાં નાહવા અને ગરમીથી રાહત મેળવા માટે આવતા હોય છે.હજુ મહીસાગર કિનારે આવેલા કોટના કિનારે વડોદરાના બે યુવકો પાણીમાં ગરકાવ થયા નો બનાવ હજુ તાજો છે.તેવામાં આજે નર્મદા કિનારે આવેલ પોઇચા ખાતે નહાવા આવેલા 3 બાળકો સહિત સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા સ્થાનિક તરવૈયા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ડભોઇ ફાયરના જવાનો ની મદદથી શોધખોળ ચાલી રહી છે. આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત 8 લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આંઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર, સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે...

વડોદરા જિલ્લા ના ડભોઇ સત્તરગામ પટેલ સમાજની વાડી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવલ ભારત ઉજ્જ્વલ ભવિષ્ય વીજ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું


આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડોદરા જિલ્લા ના ડભોઇ સત્તરગામ પટેલ સમાજ ની વાડી ખાતે ઉજ્જવલ ભારત ઉજ્જ્વલ ભવિષ્ય વીજ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.વડોદરા જિલ્લા ના ધારાસભ્યો તેમજ રાજકીય આગેવાનો ના અધ્યક્ષસ્થાને સરકાર ની વિદ્યુત ક્ષેત્ર ની અભૂતપૂર્વ સિદ્ધિઓ ને લોકો સુધી પહોંચાડવા માટે વીજ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.રાજ્ય માં જ્યોતિગ્રામ યોજના,સૂર્ય ગુજરાત યોજના,કુટીર જ્યોત તથા ઝૂંપડપટ્ટી વીજ જોડાણ યોજના,ખેડૂતોને વીજ બિલ માં રાહત આપવાની યોજના,જેવી અન્ય તમામ યોજના ઓ અમલ માં મુકવામાં આવી છે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. રાજ્ય માં આ યોજના ઓ ના અસરકારક અમલ દ્વારા અભૂતપૂર્વ કામગીરી કરી સર્વાંગી વિકાસ સાધવામાં આવ્યો છે તેમજ વિવિધ રાજ્યો ની વિદ્યુત ક્ષેત્રે થયેલ પ્રગતિ ને દર્શાવતી ટૂંકી ફિલ્મો દર્શાવવા માં આવી હતી.તેમજ શાળા ના બાળકો દ્વારા નાટક ભજવી વીજળી બચાવવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો.આ સાથે જ લાભાર્થીઓ ને વિના મૂલ્યે ઘરગથ્થું વિજજોડાણ ના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડોદરા જિલ્લા ના ડભોઇ સત્તરગામ પટેલ સમાજ ની વાડી ખાતે ઉજ્જવલ ભારત ઉજ્જ્વલ ભવિષ્ય વીજ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.વડોદરા જિલ્લા ના ધારાસભ્યો તેમજ રાજકીય આગેવાનો ના અધ્યક્ષસ્થાને સરકાર ની વિદ્યુત ક્ષેત્ર ની અભૂતપૂર્વ સિદ્ધિઓ ને લોકો સુધી પહોંચાડવા માટે વીજ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

કરજણ ના દિવી ગામ પાસે થી વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા કતલ ખાને લઈ જતી પશુ ની ગાડી ઝડપી પાડી

મારેઠા ગામે 40 વર્ષીય ઇસમનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવતા ચકચાર