તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

છબી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ દૂર દૂર થી અનેક નદીઓમાં નાહવા અને ગરમીથી રાહત મેળવા માટે આવતા હોય છે.હજુ મહીસાગર કિનારે આવેલા કોટના કિનારે વડોદરાના બે યુવકો પાણીમાં ગરકાવ થયા નો બનાવ હજુ તાજો છે.તેવામાં આજે નર્મદા કિનારે આવેલ પોઇચા ખાતે નહાવા આવેલા 3 બાળકો સહિત સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા સ્થાનિક તરવૈયા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ડભોઇ ફાયરના જવાનો ની મદદથી શોધખોળ ચાલી રહી છે. આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત 8 લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આંઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર, સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે...

વડોદરાના કમાટી બાગ ઝૂમાં પાણીથી પ્રાણીઓને સુરક્ષિત રાખવા પાંજરાના પ્લેટફોર્મ ઉંચાં કર્યા


#vadodara #kamatibaag #vadodaracity

વડોદરા શહેરમાં ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે ઝૂ માં નાના નાના પ્રાણીઓ ને સુરક્ષિત રાખવા માટે પાંજરા અને એન્કલોઝર માં પ્લેટફોર્મ ઊંચા કરવામાં આવ્યા છે આ ગામની બે દિવસ અતિભારે વરસાદની આગાહી છે એ ઐતિહાસિક પ્રાણી સંગ્રહાલયમાં 1100 જેટલા પ્રાણીઓ પક્ષીઓ છે પૂરની પરિસ્થિતિ કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં જાનવરો ને નુકસાન ન પહોંચે તે માટેની વ્યવસ્થા કરાય છે જેમાં નાના પ્રાણીઓ જેવા કે જમીનની કાચબા, સસલા અને શાહૂડી ના પાંજરા અને એન્ગલોઝર માં પ્લેટફોર્મ ઉંચા કરવામાં આવ્યા છે સદનસીબે હાલ કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ નથી ઝુ માં ખાસ સ્ટેડબાય પિંજર ઓ રાખવામાં આવ્યા છે વરસાદને કારણે પુરવઠો ન મળવાની સ્થિતિઓમાં તેમની પાસે પ્રાણીઓ માટે પૂરતો ખોરાક નો સંગ્રહ કરી રાખ્યો છેવડોદરા શહેરમાં ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે ઝૂ માં નાના નાના પ્રાણીઓ ને સુરક્ષિત રાખવા માટે પાંજરા અને એન્કલોઝર માં પ્લેટફોર્મ ઊંચા કરવામાં આવ્યા છે આ ગામની બે દિવસ અતિભારે વરસાદની આગાહી છે એ ઐતિહાસિક પ્રાણી સંગ્રહાલયમાં 1100 જેટલા પ્રાણીઓ પક્ષીઓ છે પૂરની પરિસ્થિતિ કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં જાનવરો ને નુકસાન ન પહોંચે તે માટેની વ્યવસ્થા કરાય છે જેમાં નાના પ્રાણીઓ જેવા કે જમીનની કાચબા, સસલા અને શાહૂડી ના પાંજરા અને એન્ગલોઝર માં પ્લેટફોર્મ ઉંચા કરવામાં આવ્યા છે સદનસીબે હાલ કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ નથી ઝુ માં ખાસ સ્ટેડબાય પિંજર ઓ રાખવામાં આવ્યા છે વરસાદને કારણે પુરવઠો ન મળવાની સ્થિતિઓમાં તેમની પાસે પ્રાણીઓ માટે પૂરતો ખોરાક નો સંગ્રહ કરી રાખ્યો છે

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

કરજણ ના દિવી ગામ પાસે થી વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા કતલ ખાને લઈ જતી પશુ ની ગાડી ઝડપી પાડી

મારેઠા ગામે 40 વર્ષીય ઇસમનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવતા ચકચાર